પંચાયતી રાજ વ્યવસ્થા – 4

મિત્રો આપણે આગળના અભ્યાસમાં જોયુંકે ભારતના પરિપ્રેક્ષમાં પંચાયતીરાજ શું છે? તેનું ઐતિહાસિક મહત્વ શું છે? ગ્રામ્ય સંસ્કૃતિ એક સ્વાયત્ત એકમ તરીકે ભારતીય સામાજીક-આર્થિક વ્યવાસ્થામાં કેવી રીતે ધબકે છે? અને ખરેખરા અર્થમાં ગ્રામ્ય વ્યવસ્થા પોતાની રીતે જ પોતાના પ્રશ્નોને હલ કરતી આવેલ છે તેને થોડાક સુધારા-વધારા સાથે આપણે પંચાયતીરાજ વ્યવસ્થા અંતર્ગત કેવી રીતે મનુષ્ય વિકાસના માધ્યમ તરીકે નવપલ્લવિત કરી.

અહીં બંધારણના 73માં સુધારાની ( 1992) મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની જાય છે.

(1) ગ્રામ, જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વાયત્ત એવા ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના
(2) ગ્રામ,જીલ્લા, તાલુકા કક્ષાએ પછાત વર્ગના ઉત્થાન માટે “સામાજિક ન્યાય સમિતિ” નું ગઠન ( કુલ પાંચ સભ્યો માંથી મહિલા અને    વાલ્મીકી સમાજ માંથી એક-એક ફરજીયાત)
(3) જીલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિ અને અપીલ સમિતિની રચના
(4) સ્વતંત્ર નાણાપંચ અને ચુંટણીપંચ
(5) અનુસુચિત જાતિ (વસ્તીના આધારે અનામત ) , અનુસુચિત જનજાતિ (વસ્તીના આધારે અનામત ) , સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (10 ટકા અનામત) તેમજ મહિલાઓ ( 1/3 બેઠકો અનામત જે હાલમાં 1/2 કરાયેલ છે.) માટે અનામત દ્વારા રાજકીય ભાગીદારી.
(6) રાજ્ય કક્ષાએ વિકાસ કમિશ્નર તંત્ર , જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજનાઓના અમલીકરણ માટેનું માળખું
(7) રાજ્ય કાઉન્સિલની રચના જેમાં પંચાયત મંત્રી અધ્યક્ષ અને જીલ્લા પંચાયતના પ્રમુખો સભ્ય
(8) કર્મચારીઓની ભરતી માટે “પંચાયત સેવા પસંદગી બોર્ડ” ની રચના
(9) ધારાસભ્ય અને સંસદસભ્ય સલંગ્ન પંચાયતમાં કાયમી નિમંત્રિત સભ્ય
(10) સ્થાનિક નિધિ અને ઉપકારો નાખવાના અધિકાર
(11) ગ્રામ્ય પંચાયત માટેની મહત્તમ વસ્તી મર્યાદા 10,000 થી વધારી 15,000 કરવામાં આવી
(12) તાલુકા પંચાયતમાં 1 લાખની વસ્તી માટે 15 બેઠકો અને વધારાની 25,000 ની વસ્તી દીઠ 2 બેઠકો
(13) જીલ્લા પંચાયતમાં 4 લાખની વસ્તી માટે 17 સભ્યો અને વધારાની 1 લાખની વસ્તી દીઠ 2 બેઠકો
(14) ગ્રામ્ય કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ :સામાજિક ન્યાય સમિતિ , પાણી સમિતિ (સભ્ય સંખ્યા :5)
(13) તાલુકા કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ : કારોબારી સમિતિ , સામજિક ન્યાય સમિતિ ( સભ્ય સંખ્યા : 9)
(14) જીલ્લા કક્ષાએ બનવાની પડતી સમિતિઓ : કારોબારી સમિતિ ,શિક્ષણ સમિતિ ( સભ્ય સંખ્યા : 9); સામજિક ન્યાય સમિતિ , જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિ, ઉત્પાદન- સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાલકલ્યાણ યુવા પ્રવૃત્તિ સમિતિ ( સભ્ય સંખ્યા :5)

પંચાયતીરાજ – 1
પંચાયતીરાજ – 2
પંચાયતીરાજ – 3

પંચાયતી રાજ વ્યવસ્થા-3

ભારતની આઝાદી સમયે લગભગ 90 ટકા લોકો ગામડામાં રહેતા હતા અને 70 થી 80 ટકા લોકો નીરક્ષર હતા. મુખ્ય વ્યવસાય અને અર્થતંત્ર ખેતી આધારિત હતું. ભારતના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આયોજન પંચની આવશ્યકતા હતી અને 1950 માં આયોજન પંચની રચના કરવામાં આવી.મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે ગામડું એ એના અસ્તિત્વની ક્ષણથી માંડી ભારતની આઝાદીના સમય સુધી પોતાની જરૂરિયાતો માટે સ્વનિર્ભર હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી એવી બે પ્રકારની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ પનપતી હતી. શહેરોનું ગ્રામીણ સંસ્કૃતિ પરનું અવલંબન વધારે હતું કારણકે મૂળભૂત જરૂરિયાત જેવીકે અન્ન, શકભાજી,ફાળો, દૂધ જેવી જીવનજરૂરિયાત બધીજ ચીજો માટેનો આધાર ગામડું હતું જયારે સામે પક્ષે શહેરો પાસે એવું મૂળભૂત કશું હતું જ નહિ જે તે ગ્રામ્યજનોની જરૂરિયાત હોય. આમ ગામડું એ એક પ્રકારે સ્વાયત્ત એકમ હતું.

Panchayatiraj

The Panchayati-Raj Committee

ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ની શરૂઆત ઈ.સ. 1951 માં થઇ જેમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જે ભારતીય અર્થવ્યવસ્થા ખેતી આધારિત અને ગ્રામીણ હોવાનો નિર્દેશ કરે છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબીસ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 1956 અને તેમાં પ્રાધાન્ય ભારે ઉદ્યોગો ને આપવામાં આવેલ હતું. 1956- 57 ના બજેટની ચર્ચા દરમિયાન મુલ્કી અને મહેસુલી ખર્ચની જોગવાઈ માટે ગૃહમંત્રી ગોવિંદવલ્લભ પંત ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
ગોવિંદવલ્લભ પંત સમિતિ દ્વારા યોજનાના જુદા જુદા પાસાના અભ્યાસ માટે જુદી જુદી સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું જેમાંની એક સમિતિ હતી ” સામુદાયિક વિકાસ અને રાષ્ટ્રીય વિસ્તરણ દ્વારા ગ્રામવિકાસ” જેના અધ્યક્ષ હતા શ્રી બળવંતરાય મેહતા. મેહતા સમિતિએ પોતાનો એહવાલ 1957 માં રજુ કરી કેટલીક ભલામણો કરી જે પૈકીની સૌથી અગત્યની ભલામણ હતી “ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન” આથી આ સમિતિને પંચાયતી રાજ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં પંચાયતીરાજ માટેની વિભિન્ન સમિતિઓ અને તેઓની ખુબજ અગત્યની ભલામણો અને વર્ષ નીચે મુજબ છે.

બળવંતરાય મેહતા સમિતિ (રાષ્ટ્રીય સમિતિ ,ગઠન વર્ષ – 1956, એહવાલ વર્ષ-1957)

(1) ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન
(2) ગ્રામવિકાસની યોજનાઓ પંચાયતના હસ્તક અને 100 ટકા ખર્ચની જોગવાઈ
(3) પંચાયતોને કરવેરા ઉઘરાવવાની સત્તા

– બળવંતરાય મેહતા સમિતિની ભલામણોને અંતર્ગત શ્રી જવાહરલાલ નેહરુના હસ્તે રાજસ્થાનના નાગોર જીલ્લામાં 2-10-1959 પંચાયતીરાજ નો પ્રારંભ કરવામાં આવ્યો.
– 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતીરાજ માટે “રસિકલાલ પરીખ” ની અધ્યક્ષતામાં 15 સભ્યોની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું
– રસિકલાલ પરીખ સમિતિની ભલામણોના અંતર્ગત ગુજરાત પંચાયત અધિનિયમ -1961 ઘડવામાં આવ્યો.
-1962 માં ભારત-ચીન યુદ્ધ ને કારણે ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ 1963 થી કરવામાં આવ્યો.

જાદવજી મોદી સમિતિ – 1964
ડાહ્યાભાઈ નાયક સમિતિ- 1968

ઝીણાભાઈ દરજી સમિતિ -1972
(1) મહિલા , અનુસુચિત જાતી , અનુસુચિત જનજાતિ માટે અનામત
(2) ત્રણેય સ્તર પર “સામાજિક ન્યાય” સમિતિની રચના
(3) ત્રણેય સ્તર પર સીધી ચુંટણી
(4) સરપંચને મતદાતા સીધા ચૂંટે
(5) ગ્રામપંચાયત સિવાય, તાલુકા અને જીલ્લા પંચાયત ની ચુટણી પક્ષીય ધોરણે

રીખવદાસ શાહ સમિતિ – 1977
(1) રીખવદાસ સમિતિ દ્વારા પંચાયતીરાજ ને બંધારણીય સ્થાન આપવાની ભલામણ કરવામાં આવી હતી
(2) બિનહરીફ થતી પંચાયતને પ્રોત્સાહન આપવું ( સમરસ પંચાયતો )

રાષ્ટ્રીય સ્તરે એલ.એમ. સિંઘવી સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ 1986 માં કરવામાં આવી, જે અંતર્ગત 1992માં સંસદમાં પંચાયતીરાજ માટેનો 73મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. સુધારા અંતર્ગત અનુચ્છેદ 243 અને 11 અનુસૂચી ઉમેરવામાં આવી. પંચાયતી રાજની પ્રથમ કલમ 1993 થી અમલમાં આવી જયારે અન્ય કલમો 1994 થી અમલમાં આવી.

પંચાયતરાજનો 73મો બંધારણીય સુધારા ની કેટલીક અગત્યની બાબતો નીચે પ્રમાણે છે.
(1) 15,000 સુધીની વસ્તી માટે ગ્રામ પંચાયત એથી ઉપર નગરપાલીકા
(2) મતાધિકાર 18 વર્ષ , સભ્યપદ માટે 21 વર્ષ
(3) વીસ લાખથી ઉપરની વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય, 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ
(4) મહિલાઓ માટે 1/3 બેઠકો અમલમાં
(5) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે વસ્તીના ધોરણે અનામત
(6) સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે 10 ટકા અનામત
(7) મુદત 5 વર્ષ, રાજ્ય ચુંટણી પંચ દ્વારા ચુંટણી
(8) અનુસુચિત વિસ્તારો માટે અલગ પ્રબંધ

પંચાયતીરાજ-1
પંચાયતીરાજ-2
પંચાયતી રાજ-4  

પંચાયતી રાજ વ્યવસ્થા-1

ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા ની બાબતે ચર્ચા કરતા પહેલા પંચાયતી રાજ, ગ્રામસ્વરાજ અને ભારતીય ગ્રામીણ વ્યવસ્થાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય  જોવો અનિવાર્ય બને છે.

ભારતમાં આર્યોનું આગમન થયું ત્યારે સિંધુ નદીના પ્રદેશમાં એક પછી એક આર્ય કુળો પોતાના પશુઓ સાથે ચારાની શોધમાં ફરતા હતા. આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો અને પરિણામે તેઓનું જીવન સ્થાયી ન હતું. આર્યો માટે ખેતી એટલી અગત્યની બાબત ન હતી,પરંતુ કાળક્રમે તેઓ પશુઓના ચરિયાણ અને પોતાના ખોરાક માટે ખેતી કરતા થયા. આર્યો ની ટોળી – ટોળી વચ્ચેના સંઘર્ષને પરિણામે સપ્ત-સિંધુ  પ્રદેશને ઓળંગી કેટલીક ટોળીઓ ગંગા નદીના કિનારે સ્થાયી થયી .

Mahajanpadas

Ancient Democratic Establishment in India

એક પછી એક ટોળી ગંગાના પ્રદેશમાં સ્થાયી થઇ તેને જનપદ કહેવામાં આવતું, અહીં જન એટલે “લોકો” અને પદ એટલે “પગ” એનો અર્થ એ થયો કે જ્યાં લોકોના પગ સ્થિર થયા તે “જનપદ”. આ જનપદ એ પ્રારંભિક પ્રકારના ગ્રામ્ય (ગામ) હતા જેમાં મોટેભાગે દરેક ગ્રામ્યમાં એકજ  કુળના લોકો રહેતા હતા. કુળ નો વડો  “કુળપતિ” કહેવતો અને તે પોતાના કુળના હિત માટેના બધા નિર્ણયો કરતો હતો. આ એક પ્રારંભિક કક્ષાએ આર્યોના સ્થાયી જીવનની શરૂઆત હતી. એક ટોળી ની અન્ય ટોળી સાથેની અથડામણનું મુખ્ય કારણ પણ પશુ સંપત્તિ બાબતેનું રહેતું જેના નિર્ણયો પોતાના કુળના હિત માટે “કુળપતિ” કરતો.

તો મિત્રો, આવા પ્રકારનો આર્યોનો દંગો સમય જતા ગ્રામ્ય એટલેકે “ગામ” નું સ્વરૂપ ધારણ કરે છે,જયારે એક કુળ ના આર્યો બીજા કુળના આર્યો તેમજ ભારતમાં વસતા મૂળનિવાસી લોકોનો(કે જેને આર્યો “પણી” તરીકે ઉદબોધન કરતા) સમાવેશ પોતાના દંગામાં એટલેકે “જનપદ” માં કરે છે. અહીંથી શરૂઆત થાય છે સૌ પ્રથમ ગ્રામસભાની જેમાં માત્ર એક કુળનો વડોજ નિર્ણય પ્રક્રિયાનો અધિષ્ઠાતા ન રહેતા જનપદ ના અન્ય કુલપતિઓને પણ ગ્રામ્ય હિત માટેના નિર્ણયોમાં સમાવવામાં આવે છે કારણકે જનપદમાં સ્થાયી થયેલ પ્રત્યેક વ્યક્તિનું હિત એ સમષ્ટિના હિત સાથે સંકળાયેલું છે. અહીં, એ સમજવું અનિવાર્ય બની જાય છે કે આર્ય પરંપરામાં સામુહિક નિર્ણયની પ્રક્રિયા એ શરૂઆતમાં માત્ર પશુસંપત્તિ કે સામાજિક વ્યવસ્થા બાબતે સીમિત ન રહેતા ધાર્મિક અને કર્મકાંડો બાબતે આગળ વધે છે. ધર્મ અને કર્મકાંડો એ બંને બાબતો આર્યોના પરિપ્રેક્ષ્ય માં અલગ-અલગ છે.

જનપદના સ્થાયીપણા ને પરિણામે જનસંખ્યામાં વધારો થવો સ્વાભાવિક છે અને જે જન્મ આપે છે “મહાજનપદ” ને. ચંદ્રગુપ્ત મોર્ય ના સમયમાં મગધની આસપાસ શોળ મહાજનપદ હતા જ્યાં બધાજ પ્રકારના સામુહિક નિર્ણયો લોકશાહી ઢબે  લેવામાં આવતા. સભા અને સમિતિ માં નિર્ણયની પ્રક્રિયામાં જનપદના લોકો પોતાના અભિપ્રાયો આપતા અને જે બાબત લોકહિત સાથે જોડાયેલી હોય તેને “ધાર્મિક” બાબત કહેવામાં આવતી. અહીં ધર્મ એટલે વ્યક્તિગત આચરણ અને જીવન જીવવા માટેના નિયમોનો સંપુટ. આર્ય સમાજ વ્યવસ્થામાં “વિદથા” અંતર્ગત સ્ત્રીઓને સામુહિક નિર્ણય પ્રક્રિયાની ભાગીદાર બનાવવામાં આવતી હતી.

ગ્રીકમાં જ્યાં માત્ર નગરમાં રહેનાર વ્યક્તિ કે જે નાગરિક કહેવાય તેવા પુરુષોને જ સામુહિક નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવવામાં આવતા તેવા સમયે સ્ત્રીઓ તેમજ અન્ય જાતિના લોકોને જનહિત માટે અનુક્રમે વિદથા અને સભામાં સ્થાન આપનાર આર્ય સંસ્કૃતિ સાચા અર્થમાં “પંચાયતી રાજ ” , “ગ્રામસભા ” અને “લોકશાહી” ની જનની કહી શકાય.

પ્રજ્ઞેશ ઈશરાણી

પંચાયતી રાજ -2
પંચાયતી રાજ-3              
પંચાયતી રાજ -4