પંચાયતી રાજ વ્યવસ્થા – 4

મિત્રો આપણે આગળના અભ્યાસમાં જોયુંકે ભારતના પરિપ્રેક્ષમાં પંચાયતીરાજ શું છે? તેનું ઐતિહાસિક મહત્વ શું છે? ગ્રામ્ય સંસ્કૃતિ એક સ્વાયત્ત એકમ તરીકે ભારતીય સામાજીક-આર્થિક વ્યવાસ્થામાં કેવી રીતે ધબકે છે? અને ખરેખરા અર્થમાં ગ્રામ્ય વ્યવસ્થા પોતાની રીતે જ પોતાના પ્રશ્નોને હલ કરતી આવેલ છે તેને થોડાક સુધારા-વધારા સાથે આપણે પંચાયતીરાજ વ્યવસ્થા અંતર્ગત કેવી રીતે મનુષ્ય વિકાસના માધ્યમ તરીકે નવપલ્લવિત કરી.

અહીં બંધારણના 73માં સુધારાની ( 1992) મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની જાય છે.

(1) ગ્રામ, જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વાયત્ત એવા ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના
(2) ગ્રામ,જીલ્લા, તાલુકા કક્ષાએ પછાત વર્ગના ઉત્થાન માટે “સામાજિક ન્યાય સમિતિ” નું ગઠન ( કુલ પાંચ સભ્યો માંથી મહિલા અને    વાલ્મીકી સમાજ માંથી એક-એક ફરજીયાત)
(3) જીલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિ અને અપીલ સમિતિની રચના
(4) સ્વતંત્ર નાણાપંચ અને ચુંટણીપંચ
(5) અનુસુચિત જાતિ (વસ્તીના આધારે અનામત ) , અનુસુચિત જનજાતિ (વસ્તીના આધારે અનામત ) , સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (10 ટકા અનામત) તેમજ મહિલાઓ ( 1/3 બેઠકો અનામત જે હાલમાં 1/2 કરાયેલ છે.) માટે અનામત દ્વારા રાજકીય ભાગીદારી.
(6) રાજ્ય કક્ષાએ વિકાસ કમિશ્નર તંત્ર , જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજનાઓના અમલીકરણ માટેનું માળખું
(7) રાજ્ય કાઉન્સિલની રચના જેમાં પંચાયત મંત્રી અધ્યક્ષ અને જીલ્લા પંચાયતના પ્રમુખો સભ્ય
(8) કર્મચારીઓની ભરતી માટે “પંચાયત સેવા પસંદગી બોર્ડ” ની રચના
(9) ધારાસભ્ય અને સંસદસભ્ય સલંગ્ન પંચાયતમાં કાયમી નિમંત્રિત સભ્ય
(10) સ્થાનિક નિધિ અને ઉપકારો નાખવાના અધિકાર
(11) ગ્રામ્ય પંચાયત માટેની મહત્તમ વસ્તી મર્યાદા 10,000 થી વધારી 15,000 કરવામાં આવી
(12) તાલુકા પંચાયતમાં 1 લાખની વસ્તી માટે 15 બેઠકો અને વધારાની 25,000 ની વસ્તી દીઠ 2 બેઠકો
(13) જીલ્લા પંચાયતમાં 4 લાખની વસ્તી માટે 17 સભ્યો અને વધારાની 1 લાખની વસ્તી દીઠ 2 બેઠકો
(14) ગ્રામ્ય કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ :સામાજિક ન્યાય સમિતિ , પાણી સમિતિ (સભ્ય સંખ્યા :5)
(13) તાલુકા કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ : કારોબારી સમિતિ , સામજિક ન્યાય સમિતિ ( સભ્ય સંખ્યા : 9)
(14) જીલ્લા કક્ષાએ બનવાની પડતી સમિતિઓ : કારોબારી સમિતિ ,શિક્ષણ સમિતિ ( સભ્ય સંખ્યા : 9); સામજિક ન્યાય સમિતિ , જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિ, ઉત્પાદન- સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાલકલ્યાણ યુવા પ્રવૃત્તિ સમિતિ ( સભ્ય સંખ્યા :5)

પંચાયતીરાજ – 1
પંચાયતીરાજ – 2
પંચાયતીરાજ – 3

પંચાયતી રાજ વ્યવસ્થા-3

ભારતની આઝાદી સમયે લગભગ 90 ટકા લોકો ગામડામાં રહેતા હતા અને 70 થી 80 ટકા લોકો નીરક્ષર હતા. મુખ્ય વ્યવસાય અને અર્થતંત્ર ખેતી આધારિત હતું. ભારતના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આયોજન પંચની આવશ્યકતા હતી અને 1950 માં આયોજન પંચની રચના કરવામાં આવી.મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે ગામડું એ એના અસ્તિત્વની ક્ષણથી માંડી ભારતની આઝાદીના સમય સુધી પોતાની જરૂરિયાતો માટે સ્વનિર્ભર હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી એવી બે પ્રકારની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ પનપતી હતી. શહેરોનું ગ્રામીણ સંસ્કૃતિ પરનું અવલંબન વધારે હતું કારણકે મૂળભૂત જરૂરિયાત જેવીકે અન્ન, શકભાજી,ફાળો, દૂધ જેવી જીવનજરૂરિયાત બધીજ ચીજો માટેનો આધાર ગામડું હતું જયારે સામે પક્ષે શહેરો પાસે એવું મૂળભૂત કશું હતું જ નહિ જે તે ગ્રામ્યજનોની જરૂરિયાત હોય. આમ ગામડું એ એક પ્રકારે સ્વાયત્ત એકમ હતું.

Panchayatiraj

The Panchayati-Raj Committee

ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ની શરૂઆત ઈ.સ. 1951 માં થઇ જેમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જે ભારતીય અર્થવ્યવસ્થા ખેતી આધારિત અને ગ્રામીણ હોવાનો નિર્દેશ કરે છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબીસ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 1956 અને તેમાં પ્રાધાન્ય ભારે ઉદ્યોગો ને આપવામાં આવેલ હતું. 1956- 57 ના બજેટની ચર્ચા દરમિયાન મુલ્કી અને મહેસુલી ખર્ચની જોગવાઈ માટે ગૃહમંત્રી ગોવિંદવલ્લભ પંત ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
ગોવિંદવલ્લભ પંત સમિતિ દ્વારા યોજનાના જુદા જુદા પાસાના અભ્યાસ માટે જુદી જુદી સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું જેમાંની એક સમિતિ હતી ” સામુદાયિક વિકાસ અને રાષ્ટ્રીય વિસ્તરણ દ્વારા ગ્રામવિકાસ” જેના અધ્યક્ષ હતા શ્રી બળવંતરાય મેહતા. મેહતા સમિતિએ પોતાનો એહવાલ 1957 માં રજુ કરી કેટલીક ભલામણો કરી જે પૈકીની સૌથી અગત્યની ભલામણ હતી “ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન” આથી આ સમિતિને પંચાયતી રાજ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં પંચાયતીરાજ માટેની વિભિન્ન સમિતિઓ અને તેઓની ખુબજ અગત્યની ભલામણો અને વર્ષ નીચે મુજબ છે.

બળવંતરાય મેહતા સમિતિ (રાષ્ટ્રીય સમિતિ ,ગઠન વર્ષ – 1956, એહવાલ વર્ષ-1957)

(1) ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન
(2) ગ્રામવિકાસની યોજનાઓ પંચાયતના હસ્તક અને 100 ટકા ખર્ચની જોગવાઈ
(3) પંચાયતોને કરવેરા ઉઘરાવવાની સત્તા

– બળવંતરાય મેહતા સમિતિની ભલામણોને અંતર્ગત શ્રી જવાહરલાલ નેહરુના હસ્તે રાજસ્થાનના નાગોર જીલ્લામાં 2-10-1959 પંચાયતીરાજ નો પ્રારંભ કરવામાં આવ્યો.
– 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતીરાજ માટે “રસિકલાલ પરીખ” ની અધ્યક્ષતામાં 15 સભ્યોની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું
– રસિકલાલ પરીખ સમિતિની ભલામણોના અંતર્ગત ગુજરાત પંચાયત અધિનિયમ -1961 ઘડવામાં આવ્યો.
-1962 માં ભારત-ચીન યુદ્ધ ને કારણે ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ 1963 થી કરવામાં આવ્યો.

જાદવજી મોદી સમિતિ – 1964
ડાહ્યાભાઈ નાયક સમિતિ- 1968

ઝીણાભાઈ દરજી સમિતિ -1972
(1) મહિલા , અનુસુચિત જાતી , અનુસુચિત જનજાતિ માટે અનામત
(2) ત્રણેય સ્તર પર “સામાજિક ન્યાય” સમિતિની રચના
(3) ત્રણેય સ્તર પર સીધી ચુંટણી
(4) સરપંચને મતદાતા સીધા ચૂંટે
(5) ગ્રામપંચાયત સિવાય, તાલુકા અને જીલ્લા પંચાયત ની ચુટણી પક્ષીય ધોરણે

રીખવદાસ શાહ સમિતિ – 1977
(1) રીખવદાસ સમિતિ દ્વારા પંચાયતીરાજ ને બંધારણીય સ્થાન આપવાની ભલામણ કરવામાં આવી હતી
(2) બિનહરીફ થતી પંચાયતને પ્રોત્સાહન આપવું ( સમરસ પંચાયતો )

રાષ્ટ્રીય સ્તરે એલ.એમ. સિંઘવી સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ 1986 માં કરવામાં આવી, જે અંતર્ગત 1992માં સંસદમાં પંચાયતીરાજ માટેનો 73મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. સુધારા અંતર્ગત અનુચ્છેદ 243 અને 11 અનુસૂચી ઉમેરવામાં આવી. પંચાયતી રાજની પ્રથમ કલમ 1993 થી અમલમાં આવી જયારે અન્ય કલમો 1994 થી અમલમાં આવી.

પંચાયતરાજનો 73મો બંધારણીય સુધારા ની કેટલીક અગત્યની બાબતો નીચે પ્રમાણે છે.
(1) 15,000 સુધીની વસ્તી માટે ગ્રામ પંચાયત એથી ઉપર નગરપાલીકા
(2) મતાધિકાર 18 વર્ષ , સભ્યપદ માટે 21 વર્ષ
(3) વીસ લાખથી ઉપરની વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય, 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ
(4) મહિલાઓ માટે 1/3 બેઠકો અમલમાં
(5) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે વસ્તીના ધોરણે અનામત
(6) સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે 10 ટકા અનામત
(7) મુદત 5 વર્ષ, રાજ્ય ચુંટણી પંચ દ્વારા ચુંટણી
(8) અનુસુચિત વિસ્તારો માટે અલગ પ્રબંધ

પંચાયતીરાજ-1
પંચાયતીરાજ-2
પંચાયતી રાજ-4  

પંચાયતી રાજ વ્યવસ્થા-2

મિત્રો ગ્રામીણ વ્યવસ્થા અને આર્ય સંસ્કૃતિ વિષે જાણ્યા પછી તમે એટલું તો ચોક્કસ સમજ્યા હશો કે ભારત ગ્રામ્ય સંસ્કૃતિની સાથે-સાથે ગ્રામ સ્વરાજ બાબતે ઐતિહાસિક સમયથી જ પરિપક્વ રાષ્ટ્ર છે. આજે પણ આપણે સામજિક અને ગ્રામીણ વ્યવસ્થા બંનેમાં “મુખી” કે “પંચ પરમેશ્વર” જેવા શબ્દો સંભાળીએ છીએ કે જે ભારતીય ગ્રામ સ્વરાજ ના ઉદઘોતક છે.

ભારતમાં આર્યોના આગમન પછી આ દેશ ભરત રાજાના નામ પરથી ભારત બને છે. કાળક્રમે ભારતમાં “શક” , “હુણ”, “કુષાણ”, “ક્ષત્રપ”, “અફઘાની”, “ઈરાની”, “તુરાની”, “ખુરાસની”, “મોંગોલ” જેવી અનેક પ્રજાતિઓનું આગમન થયું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ તેઓનો ભારત રાષ્ટ્રમાં સમન્વય થયો. ભારતમાં શાસકો બદલાતા ગયા પરંતુ ગ્રામીણ વ્યવસ્થામાં કોઈ મોટા પ્રકારના બદલાવ ન હતા. ભારતીય ગામો માં વસવાટ કરતા લોકોની વસ્તી લગભગ 80 થી 90 ટકા જેટલી હતી અને શહેરીકરણ ખુબજ ઓછા પ્રમાણમાં થયેલ પરિણામે રાજકીય એકમ તરીકે ભારતીય ગામ હંમેશા અકબંધ રહ્યું હતું . ભારતીય-ગામનો શાસકો સાથેનો સંબંધ માત્ર મહેસુલ આપવા પુરતો મર્યાદિત હતો અને જેને પરિણામે કોઈપણ શાસન હોય તેના આંતરિક સાર્વભૌમત્વ એટલેકે ગ્રામ સ્વરાજ્યને ક્યારેય ખરોચ પહોંચી ન હતી.

Village Life

1857 ના બળવા પછી, રિપન દ્વારા 1862 માં નગરપાલિકાઓની સ્થાપના કરવામાં આવી અને તેને પરિણામે 1869 માં મુંબઈ લોકલફંડનો કાયદો અમલમાં આવ્યો. ત્યારબાદ આ મોડેલ પરથી 1884માં દરેક જીલ્લામાં લોકલ બોર્ડની રચના કરવામાં આવી. 1889માં ગ્રામ-સફાઈનો કાયદો અમલમાં આવ્યો. આ લોકલ બોર્ડ ને સરકાર દ્વારા ફંડ આપવામાં આવતું જેના અંતર્ગત તે શહેરી નાગરિકોની જરૂરિયાત અને માંગણી મુજબ ના કાર્યોને આખરી ઓપ આપતું. ભારતમાં રિપન ને સ્થાનિક સ્વરાજનો પિતા માનવામાં આવે છે. પરંતુ રિપન દ્વારા લેવાયેલા પગલાતો શહેરીકરણ, શિક્ષણ અને પ્રજામાં પોતાના હક્કો પ્રત્યેની જાગૃતિને પરિણામે માત્ર શહેરી વિસ્તારો પુરતા લોકલ બોર્ડ ની રચના હતી અને આ એવા ભારતીય લોકોની માંગ હતી કે જે મૂળભૂત રીતે ગ્રામ્ય વ્યવસ્થામાંથી શહેરોમાં સ્થળાંતરિત થયેલ હતા. શહેરમાં સ્થળાંતરિત થયેલ લોકો એ ભારતીય ગ્રામ-સ્વરાજ , સંપ, ભાતૃભાવના અને ગ્રામ્ય-હિત એ વ્યક્તિગત હિત કરતાં ચડિયાતું છે તે પ્રકારની ભાવના શહરોમાં પણ પ્રસ્થાપિત થાય અને પોતાના પ્રશ્નો પોતાના દ્વારાજ હાલ થાય તેવા પ્રકારના મનોભાવ સાથે 1857ના બાળવામાં, પોતાની રીતે મનોવૈજ્ઞાનિક આધાર પર સામેલગીરી કરી. ભારતીય શહેરી માનસ ભવિષ્યમાં પણ અંગ્રેજો વિરુદ્ધ આવા કોઈ પ્રકારના બળવામાં મનોવૈજ્ઞાનિક રીતે શામેલ ના થાય તે આશય પણ આ લોકલ બોર્ડની રચના પાછળ હોવો ઘટે.

ભારતીય ગ્રામ્ય વ્યવસ્થાનો કારીગર વર્ગ જેવાકે લુહાર, સોની, કુંભાર, દરજી, વાણંદ, ગ્રામ્ય -સફાઈ કામદાર તદ-ઉપરાંત મંદિરના પુજારી, મહાદેવના સાધુ, મસ્જીદ નો મૌલવી અને ખેતઉત્પાદન સાથે જોડાયેલો ખેડૂત અને મજુર વર્ગ અન્યોન્ય જરૂરત પણ પૂરી કરતા અને ગ્રામ્ય વિકાસ માટે બહુમતીથી થતી નિર્ણયની પ્રક્રિયામાં ભાગીદાર પણ બનતા. આજે પણ ભારતના ગામડાઓમાં મંદિર, અને મસ્જીદ ના નિભાવ ખર્ચ માટે ખેતરો અને ગ્રામ્ય પશુઓના ચારા માટે ગોચરની જમીનનું હોવાપણું ગ્રામ્ય-સ્વરાજ નું દીર્ઘ-દ્રષ્ટિપણું સાબિત કરે છે. ભારતના કેટલાય ગામડામાં સમરસ થતી પંચાયતો એ રાજકીય અખાડાબાજીથી દુર રહી ગ્રામ્ય-હિત ને પ્રાધાન્ય અને ગ્રામીણ દૂરંદેશીપણાને દ્રષ્ટિગોચર કરે છે. આજે પણ કેટલાક ગામોમાં ધાન્યના બદલામાં મળતી શાકભાજી, માટીના વાસણ, લુહારી કામ એ માત્ર સાટા પધ્ધતિ નહિ પરંતુ અર્થતંત્ર તરીકે ગ્રામ એક સ્વાયત એકમ છે તે સાબિત કરવા માટે પુરતું છે. સુંઢલ દ્વારા થતી ખેતી ( બે ખેડૂત કુટુંબ દ્વારા એકબીજા સાથે ખેતી કામમાં કરવામાં આવતી ભાગીદારી), ધાર્મિક સ્થાનના નિભાવ માટે ના ખેતરોની જોગવાઈ, છાશનું મફત વિતરણ જેવી બાબતો ગ્રામીણ સદભાવના અને સંપ નું પ્રતિક છે.

રિપનનું સ્થાનિક સ્વરાજ લોકલફંડની ફાળવણી અને શહેરી વિસ્તારના વિકાસના કામોની 1857 ના વિપ્લવ પછી અવગણના ન કરવાની અંગ્રેજ સદબુદ્ધિ ને દર્શાવે છે. જયારે સામે પક્ષે ગ્રામ-સ્વરાજ એ ભારતીય સંસ્કૃતિનું એક ઐતિહાસિક લક્ષણ છે જેમાં ગ્રામિણ જી.ડી.પી.( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકસન) અને ગ્રામીણ એચ.એચ.આઈ. (હ્યુમન હેપીનેસ ઇન્ડેક્ષ) નું સમિશ્રણ છે.

પ્રજ્ઞેશ ઈશરાણી

પંચાયતી રાજ -1
પંચાયતીરાજ -3
પંચાયતીરાજ-4