ગુજરાત : ટેસ્ટ પેપર: -1

1)   ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની જાણકારી માટે નીચેનામાંથી કઈ બાબત અગત્યની છે?

અ)   મુઘલ કાલીન સિક્કાઓ, તવારીખો, શાહી ફરમાનો, અખબારાત, ખતપત્રો

બ)   અરબી- ફારસી, સંસ્કૃત-ગુજરાતી  અભિલેખો

ક)    સિક્કાઓ, દાનપત્રો, વાવલેખો, તામ્રપત્રો, પાળીયાલેખો, પૂર્તલેખો

ડ)    અ ,બ અને ક

2)   વાવના પ્રવેશમાર્ગ ( મુખ) ની સંખ્યાના આધારે તેનો પ્રકાર બાબતે કયું જોડકું ખોટું છે?

અ)    નંદા   –   એક મુખ                             બ)    ભદ્રા  –    બે મુખ
ક)    ત્રિજયા –  ત્રણ મુખ                             ડ)    વિજ્યા  – ચારમુખ

3)   મધ્યકાલીન ગુજરાતના  તોલમાપની અગત્યની માહિતી આપતું પુસ્તક કયું છે?

અ) બાલાવબોધ       બ)   મુખ્તસર તારીખ ગુજરાત
ક)  હંસાઉલી            ડ)    કાન્હડ-દે-પ્રબંધ

4)   વિદેશી લેખક; ગુજરાત સંદર્ભમાં લખેલી કઈ બાબત સાચી નથી?

અ)   આફ્રિકન પ્રવાસી ઈબ્ન – બતુતા                – ખંભાતની સમૃદ્ધિ

બ)   પોર્ટુગીઝ પ્રવાસી દુ-આર્ટે બારબોસા           – ગુજરાતની    રાજકીયસ્થિતિ

ક)    જર્મન પ્રવાસી મેન્ડેલ્સલો                             – ગુજરાતમાં પારસીઓની સામાજિકસ્થિતિ

ડ)    ઈરાકી પ્રવાસી અલ- મસુદી                         – ગુજરાતની  ભૌગોલિકસ્થિતિ

5)  સરહદનું રક્ષણ, કાયદાનો અમલ,લશ્કરની જાળવણી તેમજ મહેસુલ ઉઘરાવવા જેવા કાર્ય કરનાર અધિકારી કે જે સલ્તનત કાળમાં નાઝીમ તરીકે ઓળખાતા તેમને વેતન પેટે જાગીર આપવાને બદલે રોકડ આપવાની શરૂઆત કોના સમયમાં થઈ?     

અ)   અલાઉદ્દીન ખીલજી      બ)   મુઘલ કાળ

ક)    ફિરોઝશાહ તુઘલક       ડ)    ફહર્તુલ મુલ્ક

6)  સલ્તનતકાળમાં ગુજરાતના જુદાજુદા અધિકારી અને તેના અંતર્ગત થતા કાર્યોના જોડકામાંથી ખોટું જોડકું ઓળખી બતાવો

અ)  કાનુનગો  –  ખેતી વિષયક બાબતો સાથે સંકળાયેલ

બ)   આમીલ  – વહીવટી બાબતો સાથે સંકળાયેલ

ક)   શિકદાર   – ન્યાયની બાબતો સાથે સંકળાયેલ

ડ)   મુશરિફ   – કર ઉઘરાવવાની બાબતો સાથે સંકળાયેલ

 7)   સલ્તનતકાળમાં ગુજરાતમાં કઈ પદ્ધતિ દ્વારા જમીનની વહેંચણી કરવામાં આવી હતી?

અ)   વાંટા પદ્ધતિ      બ)   સાટા પદ્ધતિ

ક)    સૂંઢલ પદ્ધતિ      ડ)    ભાગીયા પદ્ધતિ

8)   અમદાવાદ અને અહમદનગર (હિંમતનગર)માં ટંકશાળની શરૂઆત કોના સમયમાં થઈ?

અ)   અહમદશાહ        બ)   અલ્પખાન

ક)    મુહમ્મદ બેગડા     ડ)    મુઝ્ઝફરશાહ

9)   ગુજરાતના સુલ્તાન બહાદુરશાહે દિલ્હીના કયા મોંગોલ શાસક સાથે સંઘર્ષ કર્યો હતો?

અ)  બાબર          બ)     અકબર

ક)   હુમાયુ           ડ)      જહાંગીર

10)   નીચેની કઈ બાબત ગીતકાર બૈજુબાવરાને લાગુ પડતી નથી?

અ)   તેનું મુળનામ “મંજુ” હતું

બ)   તેને બહાદુરશાહ ના દરબારમાં ખુબ પ્રસિદ્ધિ મેળવી હતી

ક)    તેને હુમાયુને ખુશ કરી માળવાની કતલ અટકાવી હતી

ડ)    તેનું સ્મારક બૈજનાથ મુકામે આવેલ છે

11)   શિકદાર,તહેસીલદાર, આમીલ, મુશરિફ,મુહહસીલ, ગુમાસ્તા, સરહંગ વગેરે સલ્તનતકાલીન પદો કઈ બાબત સાથે મુખ્યરૂપે સંકળાયેલ છે?

અ)  લશ્કરી    બ)   વિદેશી

ક)   મહેસુલ    ડ)   મનોરંજન

12) ગુજરાતમાં  ઢોરદીઠ ઉઘરાવાતો કર સલ્તનતકાળમાં કયા નામે ઓળખાતો હતો?

અ) પૂંછી    બ)  દાણ

ક)  ઘોટક   ડ)  અલહણ

13)  શાહેબુલબરિદ  અને મલેકુલબરિદ  નામના અમલદારોના હોદ્દાકયા ખાતા સાથે સંકળાયેલ હતા?

અ)  ખેતી-પશુપાલન     બ)   સંદેશાવ્યવહાર

ક)   જાશૂસી                ડ)    ખાન-પાન

14)   નીચેનામાંથી કઈ બાબત સલ્તનતકાલીન ગુજરાતના સિક્કાઓ સાથે સંકળાયેલ નથી?

અ)   સિક્કા પર હિજરી સવંત, ખલિફા નું નામ , સુલ્તાનનું નામ, ટંકશાળનુંનામ    અને ચિન્હ, સિક્કો પાડયા ના વર્ષનો ઉલ્લેખ ફારસી ભાષામાં

બ)   સિક્કા દીનાર, ટંકા, મહેમુદી, મુઝ્ઝફરશાહી નામે ઓળખાતા

ક)    સિક્કા દિલ્હીની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

ડ)    નકલી સિક્કા બનતા રોકવા માટેની તકનીકનો ઉપયોગ કરવામાં આવતો હતો

15)   અમદાવાદમાં કઈ પોળ સૌ પ્રથમ  બની હતી?

અ)   પતાસાની પોળ

બ)   મુહરતની પોળ

ક)    રતન પોળ

ડ)    માંડવીની પોળ

16)  નીચેની કઈ બાબત ગુજરાતી ખાનપાન પદ્ધતિ સાથે સંકળાયેલ નથી?

અ)   પરિધાનવિધિ, ભોજન વિચ્છતિ, વીરભોજન વર્ણક, અહોશ્યાલક બોલી વગેરે ગ્રંથોમાં પંદર થી સત્તરમી સદી દરમિયાનની ખાનપાન પદ્ધતિઓનો
ઉલ્લેખ કરવામાં આવેલ છે

બ)    લાડુની 36 જાતો, 52 જાતની ભાજી, 27 જાતના ઢોકળા, અનેકવિધ અથાણાં, તાંબુલ, સુકામેવા- લીલામેવા, પાપડ, ચટણી, કચુંબર, મિષ્ટાન
ફળો વગેરે ખાનપાનમાં સમાવિષ્ઠ હતાં

ક)    દરેક ભોજમાં, બ્રહ્મભોજન બાદજ સામાન્ય જન ભોજન ગ્રહણ કરી શકતા.

ડ)    ગાદી, ચાકળા, ચુડીયા, ચોકીપટ વગેરેનો ઉપયોગ શણગાર માટે તેમજ ત્રાટ, વાટાં, કચોલાંનો ઉપયોગ વાનગી પીરસવામાં કરવામાં આવતો.

17) પડાવ, નાયડા, કોટીયા,બતેલા, બગલા અને ગંજા શાના નામ છે?

અ) કચ્છમાં બનાવવામાં આવતા વિવિધ પ્રકારના વહાણો

બ) નળ-સરોવરમાં આવતા વિવિધ પક્ષીઓની જાત

ક) માટીના વાસણોના વિવિધ નામ

ડ) ખેતીનો સરંજામ

18) ગુજરાતમાં પહેરવામાં આવતી ટોપીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

અ)   અધોતરી   બ)   અતલસ

ક)    કલહી       ડ)    જમાવાડી

19)   નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ)  જીતલ                                            –  ગુજરાતી ચલણનું નામ

બ)  ગરભી, મંજુડી, ગુલમાર                              –  ખંભાત માંથી આફ્રિકાના દેશોમાં નિકાસ થતી કાપડની વિવિધ જાત

ક)   કિનખાબ, છીંટ, તારકસબ                         – ગુજરાતમાંથી નિકાસ થતી ગળીના પ્રકારો

ડ)   પ્રબંધ, પ્રશસ્તિ, આગમ,રાસ,ચરિત્ર           – જૈન સાહિત્યના વિવિધ પ્રકારો

20) નીચેનામાંથી કઈ બાબત પારસી ધર્મ ( જરથોસ્તી)  સાથે સંલગ્ન નથી?

અ) પક્ષીઓ માટે શબને માખણ લગાડી “દોખમા” માં ખુલ્લું મૂકી દેતા

બ)  સ્વચ્છતા, સાદાઈ અને શાંતિપ્રિયતા નો સંદેશ પારસી ધર્મ આપે છે.

ક) અહુરબાની ની પારસીઓ પૂજા કરે છે.

ડ) સંજાણ, નવસારી,ભરૂચ,ગોદાવરી અને ખંભાત એ પારસીઓના પાંચ ભૌગોલિક વિભાગ પાડવામાં આવ્યા હતા.

21) મુસ્લિમ ધર્મના સાંસ્કૃતિક પ્રભાવ બાબતે કઈ બાબત સાચી નથી?

અ) જલેબી,ગુલાબજાંબુ અને વિવિધ પ્રકારના શરબતો

બ) સૂકોમેવો, બદામ,અનાર,અંજીર,તરબૂચનો ઉપયોગ

ક) ભૌમિતિક આકારો, ફૂલછોડ, વેલી વગેરનો સ્થાપત્યમાં ઉપયોગ

ડ) વહાણો દ્વારા વ્યાપાર માટેની સ્પર્ધા

22) “ગુજરાતી પર અરબીફારસી ની અસરપુસ્તકના લેખકનું નામ જણાવો.

અ) ડૉ. છોટુભાઈ નાયક   બ)   શિવલાલ ગૌદાની

ક) ડૉ. બર્જેશ                 ડ)    ડૉ. હરગોવન શાસ્ત્રી

23)  અમદાવાદ ના કિલ્લામાં 139 બુરજો, 18 દરવાજા, 6709 કાંગરા આવેલ છે તેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પુસ્તકમાં કરવામાં આવ્યો છે?

અ) મિરાતે અહમદી     બ)   સલાતીને ગુજરાત

ક)   મુઝફ્ફરશાહી       ડ)   તવારીખે ગુજરાત

24)  નીચેનામાંથી ખોટો વિકલ્પ શોધો.

અ) ગવાક્ષ, ગર્ભગૃહ, અંતરાલ, શૃંગારચોકી, મંડોવર,પીઠ, શીખર     – મંદિર

બ) લિવાન, મેહરાબ, મિનારો                                                           – મસ્જિદ

ક)  નેવ , ચોઈર , એપ્સ, એલ્ટર                                                         – ચર્ચ

ડ) બિમાહ, રબી-સીટ ,તોરાહ                                                       – અગિયારી

25)  મુસ્લિમ આર્કિટેક્ચર ઓફ અહમદાબાદ ના લેખક કોણ છે?

અ)  બર્જેસ            બ)   બારબોસા

ક)   કર્નલ ટોડ       ડ)    મેન્ડેલ

26) ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મિનારા કઈ મસ્જિદમાં આવેલ છે?

અ) રાણી સિપ્રીની મસ્જિદ           બ) બીબીજીની મસ્જિદ

ક)  રાણી રૂપમતીની મસ્જિદ       ડ)  બાઈ હરિરની મસ્જિદ

27) ગુજરાતમાં મહેસુલી સુધારા કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા?

અ) રહીમખાન    બ) ટોડરમલ

ક)  ઇતમાદખાન  ડ) બહેરામખાન

28) ગુજરાતના સંદર્ભમાં, જહાંગીરના ફરમાનોમાંથી કયું ફરમાન લાગુ પડતું હતું?

અ) રાજ્યમાં દારૂબંધી, જહાંગીરના જન્મદિવસે અને રાજ્યારોહણના દિવસે માંસાહારનો ત્યાગ

બ)  તળાવ, વાવ, ધર્મશાળા અને દવાખાનાઓનું નિર્માણ, વેઠપ્રથાની નાબુદી

ક) જઝિયાવેરો, જળમાર્ગ પર મહેસુલ તેમજ રાહદારી વેરો ઉઘરાવવો

ડ) ઘરવેરાની નાબુદી, બિનવારસી મિલકતોનો ઉપયોગ જાહેર બાંધકામ માટે

29) ગુજરાતમાં પડેલાસત્યાશિયાદુષ્કાળનું વર્ણન કયા પુસ્તકમાં જોવા મળે છે?

અ) મિરાતે સિકંદરી   બ) મિરાતે અહમદી

ક) તારીખે જહાંગીરી  ડ) તુઝુકે બાબરી

30) અધિકારી અને તેના કાર્યને અનુલક્ષીને કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ) બક્ષી             – પોલીસદળનો વડો અધિકારી

બ) મુહતસીબ      – દારુ,ભાંગ, જુગાર, વેશ્યાગમન જેવા દુષણો પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરતો

ક) વાકિયાનવીસ – પ્રાંતોના સમાચાર શાહી દરબારમાં મોકલવાનું કાર્ય કરતો

ડ) કાઝી              – ન્યાય ખાતાનો વડો કહેવાતો

31) નીચેનામાંથી કયું ખાતું મોંગોલ શાસન દરમિયાન અસ્તિત્વમાં હતું?

અ) હરડે- મુરબ્બા ખાતું  બ) નોબત અને ઘડિયાળ ખાતું

ક)  ઘોડા હાજરી ખાતું    ડ)  ગ્રામીણ વિકાસ ખાતું

32) મોંગોલકાલીન સિક્કા બાબતે નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

અ)  જહાંગીરના શાસન દરમિયાન બાર રાશિ અનુસાર બાર જુદા-જુદા પ્રકારના સિક્કા ચલણમાં આવ્યા હતા

બ) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલતા ચલણી સિક્કા “કોરી” ભુજની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

ક) અકબરી રૂપિયો, મોહમદી રૂપિયો સૌરાષ્ટમાં લાંબા સમય સુધી ચલણમાં હતો

ડ) મહોરના નામે ઓળખાતા ચાંદીના સિક્કા અજમેરની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

33) સાંકળી, પૈયાર,ઝૂમણાં, કાંકલી,હાંસડી અને ટૂંપીયો જેવા ઘરેણાં સ્ત્રીના કયા અંગ સાથે સંલગ્ન છે?

અ) નાક- કાન    બ)  હાથ

ક) ગળું          ડ)   આંગળી

34) અકબર દ્વારા કઈ સવંતની શરૂઆત કરવામાં આવી હતી?

અ) દીને ઈલાહી સવંત     બ)   હિજરી  સવંત

ક)  અકબરી સવંત     ડ)    ચિશ્તી સવંત

35) દરિયાપુરમાં રેશમ ધોવા માટેના કુવા કયા નામે ઓળખાતા હતા?

અ) રેશકુવા         બ) મશરુકુવા

ક) પાતાળ કુવા     ડ) ધોબી કુવા

36) ગુજરાતના સલ્તનતકાલીન તોલમાપ બાબતે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ) માટ  – સૌરાષ્ટ્રમાં ચાલતું તોલમાપ

બ) ખાંડી – વહાણમાં માલ ચડાવવા ઉપયોગમાં લેવામાં આવતું માપ

ક) ગજ – અનાજ માટેનું તોલમાપ

ડ) કાંટરા – ડાંગર માટે વપરાતું તોલમાપ

37) અકબર દ્વારા પર્યુષણના બાર દિવસ, સોફિયાન, ઈદ, સંક્રાંતિની તિથિ, બાદશાહનો જન્મદિવસ, નવરોઝ, મોહરમ વગેરે મળી, કુલ માસ અને દિવસ જીવ હિંસાની મનાઈ માટેનું ફરમાન, કયા જૈન સાધુની પ્રેરણા દ્વારા બહાર પાડવામાં આવ્યું?

અ) હીરવિજય સુરી     બ)  મેરુતુંગ

ક)  વિજયસેન         ડ)  સમય સુંદર

38) કોના પ્રભાવ હેઠળ ઔરંગઝેબે પારસીઓ પરનો જજિયાવેરો દૂર કર્યો?

અ) આતશજી બેહરામજી       બ) ફારૂકજી કેસરજી

ક) રુસ્તમ માણેકશા            ડ) દસ્તુરજી મેહરજી

39)  પારસીઓ અગ્નિને કયા નામથી સંબોધિત કરે છે?

અ) આતશ બેહરામ   બ) અહૂર-મઝદા

ક)  નવરોઝ         ડ)  અષો-જરથોસ્ત

40)  કયા સુલતાન દ્વારા જૈનોનું અમારીવ્રત અપનાવાયું હતું?

અ) શાહજહાં       બ) જહાંગીર

ક)  અકબર        ડ)  હુમાયૂં

41) નીચેનામાંથી કઈ રચના કવિ અખા સાથે સુસંગત નથી?

અ) કૈવલ્યગીતા       બ)  જ્ઞાનગીતા

ક)  સંતપ્રિયા         ડ)   પંચીકરણ

42)  સમકાલીન સમાજમાં બદીઓને દૂર કરવા માટેની રચનાઓમાં વલ્લભ મેવાડા સાથે નીચેનામાંથી કઈ રચના સુસંગત નથી?

અ)  આંખમીંચામણી     બ) સત્યભામાનું રૂસણું

ક)  જ્ઞાનકક્કો           ડ)  દેવિચરિત

43)  જહાંગીર દ્વારા , “કોરીનામના સિક્કા કઈ ટંકશાળમાં બનાવવા માટે છૂટ આપવામાં આવી હતી?

અ) મુસ્તુફાબાદ      બ)  ભુજ

ક)  અહમદાબાદ     ડ)   નવાનગર

44) શેઠ શાંતિદાસ ઝવેરી દ્વારા બઁધાવાયેલ ચિંતામણી પાર્શ્વનાથના જૈન દેરાસરની મુલાકાતની નોંધ કયા જર્મન મુસાફરે પોતાના પુસ્તકમાં કરી છે?

અ) મેન્ડેલ સ્લો     બ) ટ્રેવેનિઅર

ક) બર્જેસ          ડ) બારબોસા

45) નીચેનામાંથી કયો સંપ્રદાય વૈષ્ણવ ધર્મ અંતર્ગત નથી?

અ)  પુષ્ટિ સંપ્રદાય            બ) નિમ્બાર્ક સંપ્રદાય

ક)   રામાનુજ સંપ્રદાય       ડ)  કાનફટ્ટા સંપ્રદાય

46)  જામનગરના  દરબારી કવિ શ્રીકંઠ દ્વારા રચાયેલ ગ્રંથ  રસકૌમુદી  કઈ કળા સાથે સંકળાયેલ છે ?

અ)  નૃત્યકળા      બ)  સંગીતકળા

ક)   નાટ્યકળા     ડ)  યુદ્ધકળા

47) ગુજરાતમાંથી ચૌથ અને સરદેશમુખી કોના દ્વારા ઉઘરાવવામાં આવતી હતી?

અ)  મોંગોલ શાસકો     બ)  મરાઠા શાસકો

ક)  રાજપૂત શાસકો      ડ)  બહમની શાસકો

48) ગુજરાતમાં સર્વોપરિતા માટે કયા મરાઠા સરદારો વચ્ચે હરીફાઈ રહેતી હતી?

અ) પેશ્વા અને ગાયકવાડ  વચ્ચે      બ) ભોંસલે અને ગાયકવાડ વચ્ચે

ક)  ગાયકવાડ અને સિંધિયા વચ્ચે   ડ) હોલ્કર અને પેશ્વા વચ્ચે

49) નાણાં વિભાગ સાથે જોડાયેલ અધિકારી મરાઠા શાસન  દરમિયાન કયા નામે ઓળખાતો ?

અ) કામવિસદાર   બ)   ફડણવીસ

ક)  પાટીલ           ડ)    કુલકર્ણી

50)  બજાર વિનાના ગામને મરાઠા શાસન અંતર્ગત કયા નામે ઓળખવામાં આવતું હતું?

અ)   મહાલ       બ)   સૂબો

ક)    મૌજ         ડ)    પરગણું

51)  ગોકુળદાસ તેજપાલ કયાંના હતા?

અ) ઉત્તર ગુજરાત   બ) અમદાવાદ

ક)  સુરત              ડ) કચ્છ

52)  નીચેનામાંથી કઈ કઈ  બાબતોમાં પારસીઓનો ફાળો રહેલો છે?

અ) મુંબઇનો જહાજ ઉધોગ   બ) મુદ્રણકળા

ક)  નાટ્યકળા                    ડ)   અ , બ , ક ત્રણેય બાબતોમાં

 53)  કાળુપુર સ્વામિનારાયણ મંદિર માટે જગ્યાની સંમતિ આપનાર અંગ્રેજ ગવર્નર કોણ હતા?

અ) ટોમસ રૉ     બ)   માલ્કમ

ક)  હેન્રી બર્ટેલ   ડ) જ્યોર્જ લોઈડ

54) મરાઠા શાસનકાળમાં ધર્માધિકારીની કઈ ફરજ હતી?

અ) મંદિરના પુજારીની પગાર આપી નિમણૂંક કરવી         બ) સંસ્કૃત પાઠશાળાઓ ચલાવવી

ક) હિન્દુ ધર્મ માટે લવાદ બનવું                                    ડ) અ ,બ, ક ત્રણેય

55) અદ્વેતવાદના પદો કોના દ્વારા લખાયા છે?

અ) મીરાબાઈ     બ) ગવરીબાઈ

ક) પાનબાઈ       ડ)  કુંવરબાઈ

56) તારીખે સોરઠહાલાર ના લેખક કોણ છે?

અ) ખુશાલદાસ            બ) મુન્શી જશવંતરાય

ક) રણછોડજી અમરજી   ડ) શોભરામ

57) સરસ્વતિ નદી બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?

અ) ભારતમાં કુલ છ નદીઓ સરસ્વતી નદી તરીકે ઓળખાય છે.

બ) ગુજરાતમાં બનાસકાંઠા,પાટણ અને મહેસાણા માંથી વહેતી સરસ્વતી નદી કચ્છના રણમાં સમાઈ જાય છે.

ક) હિમાલયમાંથી નીકળી, કુરુક્ષેત્ર અને પશ્ચિમી રાજસ્થાનમાંથી વહેતી સરસ્વતી નદી વેદકાળમાં ધરતીકંપને પરિણામે લુપ્ત થઈ હોવાનું અનુમાન છે.

ડ) ચોમાસામાં જ વહેતી નદી, ગ્રામ્ય પ્રદેશમાં કુમારિકાના નામે ઓળખાય છે.

58)  નીચેનામાંથી કઈ બાબત ભારતીય સમાજમાં સ્ત્રીસશક્તિકરણની સાક્ષી પુરે છે?

અ)  માતૃ-શ્રાદ્ધ              બ) સ્વયંવર

ક)   શાક્ત સંપ્રદાય         ડ) અ ,બ ક  ત્રણેય

59)  ગુજરાતના પારસીઓ વિષેનું કયું તથ્ય સાચું નથી?

અ) પારસીઓનું ઇરાનમાંથી ગુજરાતમાં પ્રથમ દીવ અને ત્યારબાદ સંજાણ મુકામે આગમન થયું ત્યારે “જદી રાણા” નું શાસન પ્રવર્તતું હતું.

બ) પારસીઓના અગત્યના ધાર્મિક સ્થળ જેવાકે નવસારી અને ઉદવાડા મુકામે ઈરાનશા આતશ બહેરામ ( અગ્નિ)ની પુજા થાય છે.

ક)  પારસીઓનું ગુજરાતમાં આગમન પાંચમી સદીમાં થયુ.

ડ)પારસીઓની પ્રાર્થના પુસ્તક “ખોરદા અવેસ્તા” છે. તેમજ તેમની લીપી “ઝર્થુસ્ત્ર” છે.

60) હ્યુયુનત્સંગ નામનો ચીની મુસાફરે ગુજરાતમાં વિશ્વ વિખ્યાત વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કયા રાજ્યશાસન દરમિયાન લીધી હતી?

અ) મૈત્રક શાસન               બ)  રાષ્ટ્રકૂટ શાસન

ક)  ગુર્જર પ્રતિહાર શાસન   ડ)  નંદ શાસન

61) ગુજરાતની રાજધાની બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

અ) પાટણ ; ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની રાજધાની બની તેના પહેલા ભિન્નમાળ ગુજરાતની રાજધાની હતી.

બ) કુશસ્થળી( દ્વારકા), રૈવતગિરિ( જૂનાગઢ) તેમજ વલભી જેવા નગરો ગુજરાતની રાજધાની તરીકે ગણી શકાય.

ક) વનરાજ ચાવડાએ રાજધાની પંચાસર થી પાટણ જયારે કરણસિંહે રાજધાની પાટણથી કર્ણાવતી મુકામે બદલી હતી.

ડ) મીનળદેવીના સમયમાં ગુજરાતની રાજધાની ધોળકા બની હતી.

62) અહમદાબાદ બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?

અ) સુલતાન અહમદશાહ,  ગુરુ શેખ અહમદશાહ  ખટ્ટુ , તેમજ કાઝી અહેમદ અને મલિક અહેમદ એમ કુલ ચાર અહેમદ નામના વ્યક્તિઓ દ્વારા તેનો
પાયો નંખાયો.

બ) અહમદાબાદ સાથે જોડાયેલા અન્ય નામોમાં “કર્ણાવતી” , “આશાવળી”  પણ છે.

ક) 25 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદાબાદનો પાયો નંખાયો.

ડ) જહાંગીરે અહમદાબાદ ને ગર્દ-આબાદ એટલેકે ધૂળિયું શહેર કહીને ઓળખાવ્યું હતું.

63) નીચેનામાંથી કયું નિર્માણ અહમદશાહ-1 ના સમયમાં થયેલ નથી?

અ)  માણેક બુર્જ       બ) હૌજે-કુતુબ (કાંકરિયું)

ક)   ભદ્રનો કિલ્લો     ડ)  જામા મસ્જિદ

 64) થોમસરો  દ્વારા વ્યાપારની છૂટ મેળવવા માટે જહાંગીરની મુલાકાત કાયા શહેરમાં થઇ હતી?

અ) સુરત             બ) ભરૂચ

ક) અહમદાબાદ   ડ) મુંબઈ

65) કયા મુઘલ સૂબાના સમયમાં અહમદાબાદમાંમોતીશાહી મહેલનું નિર્માણ કરવામાં આવ્યું?

અ) શાહજહાં      બ) ખુર્રમ

ક) ખાન ખાના    ડ) સૈયદ મુર્તુઝા

66) કયા અંગ્રેજ મુસાફરે અહમદાબાદને ગુજરાતની મહાનગરી ગણાવી હતી ( .. 1626 ) ?

અ) થોમસ હર્બર્ટ     બ) થોમસ રો

ક) કર્નલ ટોડ           ડ)  ટ્રેવેનિઅર

67) પ્રથમ એંગ્લોમરાઠા વિગ્રહ સમયે કોના દ્વારા ભદ્રના કિલ્લા પાર આક્રમણ કરવામાં આવ્યું હતું?

અ) ફિલિપ જોશ     બ) થોમસ ગોડાર્ડ

ક)   કપ્તાન હ્યુ રોઝ   ડ)  થોમસ કુક

68) પ્રથમ એંગ્લોમરાઠા વિગ્રહ બાદ કઈ સંધિ અનુસાર અહમદાબાદની સત્તા પેશ્વાઓને મળી?

અ) સુરતની સંધિ      બ)  ગોવાની સંધિ

ક) સલબાઈની સંધિ   ડ)   વડોદરાની સંધિ

69) કઈ સંધિ બાદ મરાઠાઓ પાસે અમદાવાદમાં માત્ર ગાયકવાડની હવેલી બાકી રહી?

અ) સુરતની સંધિ      બ)  પુનાની સંધિ

ક) સલબાઈની સંધિ   ડ)   વડોદરાની સંધિ

70) બ્રિટિશ શાસનકાળમાં અહમદાબાદના વિકાસ માટે કઈ વસ્તુ પર સેસ નાખવામાં આવી હતી?

અ) ગળી     બ) ઘી

ક)  ફળો      ડ) ધાન્ય

71) ગુજરાતમાં પર્શિયન પ્રકારના બગીચા નિર્માણની પ્રથા કોના સમયમાં શરુ થઈ  તેવું કહી શકાય.

અ) અહમદશાહ       બ) મોહમ્મદ બેગડો

ક) મુઝફ્ફર શાહ       ડ) કુતુબશાહ

72) સિદ્દી સૈયદની જાળીનું નિર્માણ કરનાર સિદ્દી સૈયદ કયાંનો વતની હતો?

અ) પર્સીયા            બ) બગદાદ

ક) એબિસિનિયા     ડ)  અંકારા

73) જૂનાગઢના ઉપરકોટનું નવનિર્માણ કયા સૂબા દ્વારા કરવવામાં આવ્યું હતું?

અ) ઈશરતખાન       બ) રસુલખાન

ક)  જહાનશાહ         ડ) મહોબતખાન

74) નીચેનામાંથી કઈ બાબત જૂનાગઢ સંલગ્ન ખોટી છે?

અ) જૂનાગઢમાં  ઉપરકોટ ઉગ્રસેન ગઢ, જિર્ણદુર્ગ, જહાંપનાહ  વગેરે નામે ઓળખાતો હતો

બ) કાલયવનથી બચવા માટે યાદવોએ જૂનાગઢના ઉપરકોટમાં આશ્રય લીધો હતો

ક) સિધ્ધરાજ જયસિંહ, મોહમ્મદ બેગડા દ્વારા જુદા જુદા સમયે જૂનાગઢ પાર આક્રમણ કરવામાં આવ્યા હતા.

ડ)  જૂનાગઢમાં છેલ્લો સુલતાન મોહમ્મદ બેગડો હતો.

75) કોના સમયમાં સોમનાથ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું હતું તેના અંતર્ગત કયું જોડકું ખોટું છે

અ) સુવર્ણ  –  સોમરાજ

બ) ચાંદી  –   રાવણ

ક) લાકડું  –  રા’નવઘણ

ડ) પથ્થર – ભીમદેવ

 76) અશોકના ગિરિનગરના શિલાલેખ અંતર્ગત નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.

અ) અશોક દ્વારા સુદર્શન તળાવના નિર્માણ સમયે આ રાજઆજ્ઞાઓ મુકવામાં આવી હતી.

બ) અશોકનો શિલાલેખ 75 ફૂટના ઘેરાવામાં આવેલ છે જેમાં 14 જેટલી રાજઆજ્ઞાઓ આપેલી છે.

ક) તેમાં ભાષા પ્રાકૃત અને લીપી બ્રાહ્મી છે.જેમ્સ પ્રિન્સેપ દ્વારા આ લીપી ઉકેલવામાં આવી હતી.

ડ) મુખ્ય બાબતોમાં અહિંસા, કર્તવ્યપાલન, બિનસાંપ્રદાયિકતા,સહભાગિતા,જ્ઞાન, સ્ત્રી-દાક્ષિણ્ય, વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

77) ગુજરાતમાં હેલિકલ સ્ટેપવેલ કયાં આવેલ છે?

અ) જૂનાગઢ   બ) પાટણ

ક) મોઢેરા       ડ) ચાંપાનેર

78) નીચેનામાંથી કઈ મસ્જિદ ચાંપાનેરમાં આવેલી નથી ?

અ) કેવડા મસ્જિદ,      બ) રાની સિપ્રીની મસ્જિદ

ક)  નગીના મસ્જિદ     ડ) ખજૂરી મસ્જિદ

79) બાબા પ્યારેની ગુફાઓ ક્યાં આવેલી છે?

અ) જૂનાગઢ     બ) કચ્છ

ક) દીવ           ડ) સાબરકાંઠા

80) ટપકેશ્વરીનું મંદિર આવેલ છે?

અ) જામનગર   બ) જૂનાગઢ

ક) ભુજ           ડ)  વડોદરા

81) લખપત માટે નીચેનામાંથી કયું કથન સત્ય નથી?

અ) લખપત શહેરનું નિર્માણ રાવ લાખા દ્વારા થયું હોય તેનું નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.

બ)  દરરોજના એક લાખ યાત્રાળુઓ અહીંથી નીકળતા હોવાથી નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.

ક) દરરોજનો એક લાખ કોરીનો વ્યાપાર થતો હોવાથી લખપત નામ પડ્યું

ડ) મોહમ્મદ કાબાની દરગાહ લખપતમાં આવેલી છે.

82) કયા મોંગોલ શાસકના સમયમાં સુરતમાં, સ્થાપત્યના વારસા સમાન મુઘલ સરાઈ ( મુસાફરખાના) નું નિર્માણ થયું હતું?

અ) અકબર        બ) જહાંગીર

ક) બહાદુરશાહ   ડ) શાહ જહાન

83) નીચેનામાંથી કયું ઐતિહાસિક સ્મારક મેહમદાવાદમાં આવેલ નથી?

અ) ચાંદા સુરજનો મહેલ      બ) રોઝા રોઝી

ક) ભમ્મરિયો કુવો               ડ) કેવડા મસ્જિદ

84) ખટ્ટુ ગંજબક્ષ ની યાદમાં બંધાયેલ સરખેજ રોઝાના સ્થપતિ કોણ હતા?

અ) આઝમ અને મુવાઝમ       બ) રાજાબાઈ

ક)  બાઈ હરિર                     ડ)  મુન્નવર

85)  પ્રાગમહેલ, આઈનામહેલ અને રાણીનોઝરૂખો કયાં આવેલા છે?

અ) અંજાર                        બ) ભુજ

ક)  લખપત                       ડ) ધોળાવીરા

86) નીચેનામાંથી કયું તથ્ય મોઢેરાના સૂર્યમંદિર સાથે સંલગ્ન નથી?

અ) સૂર્યમંદિર મારુ-ગુર્જર પદ્ધતિ દ્વારા બનાવાયું છે.

બ) સૂર્યમંદિર વિક્રમ સંવંત 1083 માં ભીમદેવ-1 ના સમય માં બાંધવામાં આવ્યું હતું.

ક) સિધ્ધરાજ જયસિંહના સમયથી મોઢેરાના સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.

ડ) ગર્ભગૃહ, કુંભ, કુંડ, ગૂઢમંડપ, મંડોવર, મંડપ, સભામંડપ, તોરણ, કીર્તિમુખ જેવા વિધ-વિધ શબ્દો સુર્યમંદિરના ભાગો નિદર્શિત કરે છે.

87) પંચમહાલના પેરિસ તરીકે ઓળખાતું સ્થળ જણાવો.

અ) ગોધરા      બ) મોરવા હડફ

ક) જાંબુઘોડા   ડ)  દેવગઢ બારીયા

88) દુધમતી નદી, ઔરંગઝેબનું જન્મસ્થળ ( ગઢીનો કિલ્લો) ,  છાબ તળાવ જે જીલ્લામાં આવેલ છે તે જીલ્લો જણાવો.

અ) ડાંગ         બ) દાહોદ

ક) તાપી         ડ) નર્મદા

89) પિથોરા કળા બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે.

અ) પિથોરા કળા રાઠવા અને ભીલ આદિવાસી સાથે સંકળાયેલી ધાર્મિક-ચિત્ર કળા છે.

બ)  મુખ્ય ભુવાને બડવા કહેવામાં આવે છે જે માનતા પૂર્ણ થતા ધાર્મિક વિધિ પૂર્ણ કરાવે છે.

ક)  પિથોરા કળા દાહોદ જિલ્લામાં પ્રચલિત છે.

ડ) પિથોરા કળામાં પ્રકૃતિ અને પ્રાણીઓનું નિરુપણ કરવામાં આવે છે.

90) ફળદ્રુપતાની દેવી નું નિરૂપણ કઈ ચિત્રકળામાં જોવા મળે છે.

અ) પિથોરા       બ) વારલી ચિત્રકળા

ક) ડાંગી કળા     ડ)  મૈથિલી કળા

91) રૂપગઢનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે?

અ) ડાંગ     બ) તાપી

ક) નર્મદા    ડ) છોટા ઉદેપુર

92) આદિવાસી પરંપરા, વેશભૂષા, સંગીત અને નૃત્યના સંગમ સાથેનો હોળી પર્વ નિમિત્તેનો ઘેરનો મેળો ક્યાં ભરાય છે?

અ) કવાંટ         બ)  ભવનાથ

ક) દુધરેજ          ડ)  તરણેતર

93) શામળાજીમાં , મેશ્વો નદીને કાંઠે ભરાતા ભીલ અને ગરાસિયા આદિવાસીના મેળો ક્યારે ભરાય છે?

અ) ચૈત્ર  સુદ પૂનમ     બ) આસો વદ  અમાસ

ક) કાર્તિક પૂર્ણિમા      ડ)  ભાઈ બીજ

 94) ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ગુજરાતના જિલ્લામાં આવેલું છે?

અ) છોટા ઉદેપુર       બ) કચ્છ

ક)  વડોદરા              ડ) રાજકોટ

95)  નીચેનામાંથી  વિકલ્પ સાચો છે?

અ) બાર્ટન મ્યુઝિયમ -રાજકોટ

બ)  વોટસન મ્યુઝિયમ – ભાવનગર

ક) અ અને બ બન્ને વિકલ્પમાં શહેરોના નામ અરસપરસ બદલાવી દેવામાં આવે તો બન્ને જવાબ સાચા બને

ડ) બન્ને વિકલ્પ સાચા છે

96) સાબરકાંઠા જિલ્લાના, ગુણભાંખરી નામના સ્થળે સાબરમતી નદીના તટમાં કયો મેળો ભરાય છે?

અ) ઘેરનો મેળો     બ) ચિત્ર-વિચિત્ર મેળો

ક) ચુલનો મેળો      ડ)  ગોળ-ગધેડાનો મેળો

97) મંજીરા નૃત્યથી જાણીતા , નળકાંઠાના પઢારોની,  નીચેનામાંથી કઈ બાબત સત્યથી વેગળી છે?

અ) માછીમારી, ખેતમજૂરી અને નળસરોવરમાં નૌકા ચલાવવા સાથે સંકળાયેલ પધારો નળ સરોવરની આજુબાજુના ગામોમાં રહે છે.

બ) સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બંન્ને જિલ્લાની સરહદોમાં પઢાર જાતિના ગામડાઓ આવેલા છે.

ક)  આનંદપુરના પઢારોએ દિલ્હીમાં ગણતંત્રદિવસના સમારોહમાં રાસ પ્રસ્તુત કર્યો હતો.

ડ)  સિંધ પ્રાંત માંથી આવેલા પઢારો દોરડા વણવાની અને જાળી ગૂંથવાની કળાના જાણકાર છે.

98) નીચેનામાંથી કઈ નૃત્ય કળા સૌરાષ્ટ્ર પ્રદેશ સાથે સઁકળાયેલ નથી?

અ) કાન-ગોપી     બ) રામામંડળ

ક) ગોફનૃત્ય         ડ)  મેરાયો

99) નીચેના પૈકી કયું વાજીંત્ર ભવાઈમાં વગાડવામાં આવતું નથી?

અ) નરઘુ        બ) સારંગી

ક) ભૂંગળ        ડ) કાંસીજોડા

100) નીચેના પૈકી કયું વાજીંત્ર ભજન સાથે જોડાયેલું નથી?

અ) જીવારી અને ભોણીયો       બ) કરતાલ

ક) નગારું                             ડ)  મંજીરા

…………………………………………………………………………………………………………………………………………………………………

                                                                                પ્રશ્ન ક્રમાંક 1 થી 100 ની પ્રોવિઝનલ આન્સર કી  

  1.  ડ)  : અ ,બ અને ક ત્રણેય સાચા
  2.  ક) : ત્રિજ્યા – ત્રણ મુખ
  3.  અ) : બાલાવબોધ
  4.  ક)  :  જર્મન પ્રવાસી મેન્ડેલ્સલો– ગુજરાતમાં પારસીઓની સામાજિકસ્થિતિ
  5.  અ) : અલ્લાઉદ્દીન ખીલજી
  6.  ક)  : શિકદાર   – ન્યાયની બાબતો સાથે સંકળાયેલ
  7.  અ)   વાંટા પદ્ધતિ
  8.  અ)   અહમદશાહ
  9.  ક)   હુમાયુ
  10.  ડ)    તેનું સ્મારક બૈજનાથ મુકામે આવેલ છે
  11.  ક)   મહેસુલ
  12.  અ) પૂંછી
  13. બ)   સંદેશાવ્યવહાર
  14. ક)    સિક્કા દિલ્હીની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા
  15. બ)   મુહરતની પોળ
  16. ક)    દરેક ભોજમાં, બ્રહ્મભોજન બાદજ સામાન્ય જન ભોજન ગ્રહણ કરી શકતા.
  17. અ) કચ્છમાં બનાવવામાં આવતા વિવિધ પ્રકારના વહાણો
  18. ક)    કલહી
  19. ક)   કિનખાબ, છીંટ, તારકસબ – ગુજરાતમાંથી નિકાસ થતી ગળીના પ્રકારો
  20. ક) અહુરબાની ની પારસીઓ પૂજા કરે છે
  21. ડ) વહાણો દ્વારા વ્યાપાર માટેની સ્પર્ધા
  22. અ) ડૉ. છોટુભાઈ નાયક
  23. અ) મિરાતે અહમદી
  24. ડ) બિમાહ, રબી-સીટ ,તોરાહ – અગિયારી
  25. અ)  બર્જેસ
  26.  બ) બીબીજીની મસ્જિદ
  27. બ) ટોડરમલ
  28. ક) જઝિયાવેરો, જળમાર્ગ પર મહેસુલ તેમજ રાહદારી વેરો ઉઘરાવવો
  29. બ) મિરાતે અહમદી
  30. અ) બક્ષી
  31. ડ)  ગ્રામીણ વિકાસ ખાતું
  32. ડ) મહોરના નામે ઓળખાતા ચાંદીના સિક્કા અજમેરની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા
  33. ક) ગળું
  34. અ) દીને ઈલાહી સવંત
  35. બ) મશરુકુવા
  36. ક) ગજ – અનાજ માટેનું તોલમાપ
  37. અ) હીરવિજય સુરી
  38. ક) રુસ્તમ માણેકશા
  39. અ) આતશ બેહરામ
  40. ક)  અકબર
  41. બ)  જ્ઞાનગીતા
  42. ડ)  દેવિચરિત
  43. બ)  ભુજ
  44. અ) મેન્ડેલ સ્લો
  45. ડ)  કાનફટ્ટા સંપ્રદાય
  46. અ)  નૃત્યકળા
  47. બ)  મરાઠા શાસકો
  48. અ) પેશ્વા અને ગાયકવાડ  વચ્ચે
  49. બ)   ફડણવીસ
  50. ક)    મૌજ
  51. ડ) કચ્છ
  52. ડ)   અ , બ , ક ત્રણેય બાબતોમાં
  53. બ)   માલ્કમ
  54. અ) મંદિરના પુજારીની પગાર આપી નિમણૂંક કરવી
  55. બ) ગવરીબાઈ
  56. ક) રણછોડજી અમરજી
  57. ડ) ચોમાસામાં જ વહેતી નદી, ગ્રામ્ય પ્રદેશમાં કુમારિકાના નામે ઓળખાય છે.
  58. ડ) અ ,બ ક  ત્રણેય
  59. ક)  પારસીઓનું ગુજરાતમાં આગમન પાંચમી સદીમાં થયુ.
  60. અ) મૈત્રક શાસન
  61. ડ) મીનળદેવીના સમયમાં ગુજરાતની રાજધાની ધોળકા બની હતી.
  62. ક) 25 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદાબાદનો પાયો નંખાયો.
  63. બ) હૌજે-કુતુબ (કાંકરિયું)
  64. ક) અહમદાબાદ
  65. બ) ખુર્રમ
  66. અ) થોમસ હર્બર્ટ
  67. બ) થોમસ ગોડાર્ડ
  68. ક) સલબાઈની સંધિ
  69. બ)  પુનાની સંધિ
  70. બ) ઘી
  71. બ) મોહમ્મદ બેગડો
  72. ક) એબિસિનિયા
  73. અ) ઈશરતખાન
  74. ડ)  જૂનાગઢમાં છેલ્લો સુલતાન મોહમ્મદ બેગડો હતો.
  75. ક) લાકડું  –  રા’નવઘણ
  76. અ) અશોક દ્વારા સુદર્શન તળાવના નિર્માણ સમયે આ રાજઆજ્ઞાઓ મુકવામાં આવી હતી
  77. ડ) ચાંપાનેર
  78. બ) રાની સિપ્રીની મસ્જિદ
  79. અ) જૂનાગઢ
  80. ક) ભુજ
  81. બ)  દરરોજના એક લાખ યાત્રાળુઓ અહીંથી નીકળતા હોવાથી નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.
  82. ડ) શાહ જહાન
  83. ડ) કેવડા મસ્જિદ
  84. અ) આઝમ અને મુવાઝમ
  85. બ) ભુજ
  86. ક) સિધ્ધરાજ જયસિંહના સમયથી મોઢેરાના સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.
  87. ડ)  દેવગઢ બારીયા
  88. બ) દાહોદ
  89. ક)  પિથોરા કળા દાહોદ જિલ્લામાં પ્રચલિત છે.
  90. બ) વારલી ચિત્રકળા
  91. અ) ડાંગ
  92. અ) કવાંટ
  93. ક) કાર્તિક પૂર્ણિમા
  94. બ) કચ્છ
  95. ક) અ અને બ બન્ને વિકલ્પમાં શહેરોના નામ અરસપરસ બદલાવી દેવામાં આવે તો બન્ને જવાબ સાચા બને
  96. બ) ચિત્ર-વિચિત્ર મેળો
  97. ક)  આનંદપુરના પઢારોએ દિલ્હીમાં ગણતંત્રદિવસના સમારોહમાં રાસ પ્રસ્તુત કર્યો હતો.
  98. ડ)  મેરાયો
  99. બ) સારંગી
  100. ક) નગારું